સ્નેહ મિલન તા.૧૨.૦૩.૨૦૦૦નાં રોજ નૂતન ઉપાશ્રયનાં ઉદ્દઘાટનનાં દિવસે સાંજે સંઘના તત્કાલીન ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ ચુનિલાલ પટેલનાં બંગલે ધ્યેયસિધ્ધ કરતાં કાર્યપૂર્ણતાની ખુશાલીમાં ઉપાશ્રયના મુખ્યદાતા, આરાધના ભવનના દાતા, સંઘની કારોબારી સમિતિના સભ્યો તથા કાર્યકરોનું (સજોડ) સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવેલ. જ્યાં દરેકના મુખ પર ધ્યેયને હાંસલ કર્યાનો સંતોષ તેમજ ખુશી તરી આવતાં હતા. ઉષ્માભર્યા આવકાર અને મિલન મુલાકાત બાદ ભોજન લઇ શ્રી જયંતીભાઈનો આભાર માની સૌ છુટા પડેલ.
Back to Top